ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

22 ઑક્ટોબર, 2015

આજે 12 વાગ્યા સુધી નોમ પછી દશેરા, જાણો કેટલો શુભ રહેશે તમારો દિવસ

મેષ : સામાજિક-કૌટુંબિક કે અન્ય જવાબદારીઓને પાર પાડી શકશો. ધીમું ફળ મળતું જણાય. વિઘ્ન દૂર થાય.

વૃષભ : મનનો પરિતાપ અને રુકાવટો દૂર થતાં રાહત અનુભવાય. નાણાભીડનો ઉકેલ સહજ. પ્રવાસ ફળે.

મિથુન : પ્રતિકૂળતા અને તણાવના સંજોગો હળવા થાય. આર્િથક સમસ્યાને સૂલઝાવી શકશો. વિવાદ ટાળજો.

કર્ક : આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. પ્રયત્નો ફળદાયી જણાય. સ્વજન-મિત્ર અંગે સાનુકૂળતા.

સિંહ : શાંતિ અને સ્વસ્થતા જાળવવા કોશિશ કરજો. લાગણી પર કાબૂ જરૃરી બને. વ્યાવસાયિક બાબતોનો હલ મળે.

કન્યા : ધીરજનાં ફળ મીઠાં ચાખી શકશો. અગત્યની વ્યક્તિ ઉપયોગી બને. મિત્ર-મુરબ્બીથી સહકાર. પ્રવાસ.

તુલા : આપના જમીન, જાગીર, વેપાર-ધંધાનાં કામકાજો અંગે કોઈ સાનુકૂળ સંજોગો ઊભા થતાં લાગે.

વૃશ્ચિક : આર્થિક-વ્યાવસાયિક બાબતો ગૂંચવાયેલ હોય તો ઉકેલ આવશે. કૌટુંબિક કાર્ય સફળ બને.

ધન : મનના મનોરથને પૂર્ણ કરવા હજી લાંબી મજલ કાપવી પડે. ઉતાવળ અને આળસ ત્યજવા પડે.

મકર : પ્રતિકૂળતાભર્યા સંજોગો લાગે તો પણ હિંમત ન હારશો. ઈશ્વર જરૃર મદદરૃપ થાય.

કુંભ : અરમાનો અને અપેક્ષાઓ મુજબ ભલે કાંઈ થતું ન લાગે. પણ સારું તો અવશ્ય જોઈ શકશો.

મીન : લાગણીઓ ઘવાય નહીં તે માટે સમતોલન રાખજો. આર્િથક ચિંતા દૂર થાય. કુટુંબ ક્લેશ ટાળજો.

પંચાંગ:

સૂર્યોદયાદિ    સૂર્યોદય   નવકારશી   સૂર્યાસ્ત
અમદાવાદ    ૬-૪૦   ૭-૨૮      ૧૮-૦૭

દિવસનાં ચોઘડિયાં :  ૧. શુભ, ૨. રોગ, ૩. ઉદ્વેગ, ૪. ચલ, ૫. લાભ, ૬. અમૃત, ૭. કાળ, ૮. શુભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. ચલ, ૩. રોગ, ૪. કાળ, ૫. લાભ, ૬. ઉદ્વેગ, ૭. શુભ, ૮. અમૃત.

નવરાત્રિ સમાપ્ત, વિજયાદશમી-દશેરા, આયુધ-શમી પૂજન, બુદ્ધ જયંતી, પંચક ક. ૨૪-૪૯થી
વિક્રમ સંવત : ૨૦૭૧, આસો સુદ નવમી, ગુરુવાર, તા. ૨૨-૧૦-૨૦૧૫.
વીર (જૈન)  સંવત : ૨૫૪૧.
શાલિવાહન શક : ૧૯૩૭.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૭.
રાષ્ટ્રીય દિનાંક :  ૩૦-આશ્વિન.
પારસી માસ : ખોરદાદ. રોજ :  ૬-ખોરદાદ.
મુસ્લિમ માસ :  મહોરમ. રોજ :  ૮.
દૈનિક તિથિ :  સુદ નવમી ક. ૧૧-૫૮ સુધી.
ચંદ્ર નક્ષત્ર :  શ્રવણ ક. ૧૩-૨૮ સુધી પછી ધનિષ્ઠા.
ચંદ્ર રાશિ  :  મકર ક. ૨૪-૪૯ સુધી પછી કુંભ
જન્મ નામાક્ષર  :    મકર (ખ.જ.), કુંભ (ગ.શ.સ.).
કરણ :  કૌલવ/તૈતિલ/ગર.
યોગ :   શૂળ ક. ૧૬-૫૩ સુધી પછી ગંડ.

વિશેષ પર્વ :  નવરાત્રિ સમાપ્ત. * આજે ક. ૧૧-૫૮ સમયે નવમી તિથિ સમાપ્ત થતાં દસમ-વિજયાદશમી શરૃ થાય છે. આ દસમ તિથિ આવતીકાલે શુક્રવારે સવારે ક. ૦૯-૫૧ સુધી જ છે તેથી અપરાહ્ન કાળ (મધ્યાહ્નથી સૂર્યાસ્ત દરમિયાન) દસમ તિથિ ગુરુવારે-આજે હોવાથી વિજયાદશમી આજે છે. વિજયાદશમી-દશેરા. આયુધ-શસ્ત્ર- શમી પૂજન. બુદ્ધ જયંતી. મન્વાદિ. પંચક મોડી રાત્રે ક. ૨૪-૪૯થી શરૃ થશે. * રવિયોગ અહોરાત્ર. * કૃષિ જ્યોતિષ : આજે શમી-ખીજડાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે. પશુ લેવડદેવડ તથા તમામ ખેતીકાર્યો માટે શુભ દિવસ. રાહુકાલ :  દિવસે  ક. ૧૩-૩૦  થી  ૧૫-૦૦.

21 ઑક્ટોબર, 2015

નવરાત્રિના અંતિમ દિવસે, સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરવા કરો માં સિદ્ધિદાત્રીની પૂજા

દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાં નવમું સ્વરૂપ 'સિદ્ધિદાત્રી’ તરીકે ઓળખાય છે. નવ સ્વરૂપોમાં એ નવમ્ અને અંતિમ છે. યોગીઓ નવમાં દિવસે પોતાના મનને 'જીહ્વા’ માં સ્થિર કરે છે. નામ મુજબ જ આ દેવી સર્વ સિદ્ધિની દાયક છે. ભગવાન શિવજીએ પણ આ દેવીની કુપાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, તેમની કૃપાથી જ ભગવાન શિવનું અડધું શરીર નારી સ્વરૂપ થયું. અને ભગવાન અર્ધનારીશ્વર કહેવાયા. તેમની સાધના અને ઉપાસનાથી સાધકનાં કઠીનમાં કઠોર કાર્યો પણ સિદ્ધ થાય છે.

હિ‌માલયમાં નંદા પર્વત ઉપર તેમનું સિદ્ધ તિર્થ છે. અણિમાં, મહિ‌માં, ગરિમાં, લધિમાં, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ, અને વશિત્વ આ આઠ સિદ્ધિઓનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. દેવીનાં આ સ્વરૂપની ઉપાસના કરવાથી આઠેય સિદ્ધિઓ મેળવવા સાધક ભાગ્યશાળી બને છે. શંખ, ચક્ર, ગદા અને કમળનું પુષ્પ ચાર ભુજામાં ધારણ કરીને સિંહ ઉપર સવારી કરે છે. ઘણી વખત તે કમળનાં પુષ્પ ઉપર પણ આસન ગ્રહણ કરે છે. માતાના ચરણોમાં શરણાગત ભાવથી એકાગ્ર થઇને માતા ની ઉપાસના કરવાથી સંસારની અસારતાનો ભાસ થાય છે અને અભય પદની પ્રાપ્તિ થાય છે.

અનુષ્ઠાન કરનારા સાધકો માટે આ નવમો (અંતીમ) દિવસ છે. નવમા દિવસનાં સ્વરૂપનો માતાજીની ભકિતનો મંત્ર નીચે મુજબ છે.

માતાજીની નિષ્કામ ભકિત માટે:

सिद्धगंधर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना यदा भूयात् सिद्धिदा सिद्धिदायनी

18 ઑક્ટોબર, 2015

યોગ્ય કેરિયરની પસંદગી કરવી હોયતો જન્મ તારીખને આધારે કરો

જો તમે 29 તારીખે જન્મ્યા હો તો તમારો બર્થ નંબર એટલે કે જન્માંક 2+9 = 11 અને પછી તેનો પણ સરવાળો 1+1 = 2એટલે કે તમારો જન્માંક નંબર ૨ છે. અંકો માનવજીવનની ઘણી બધી બાબતોને સ્પર્શે છે. તેમાંથી એક છે કરિયરની યોગ્ય પસંદગી. જન્માંક નંબરને આધારે કરિયરના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકો છો. જન્માંક અને કરિયરના વિવિધ ઓપ્શન આ પ્રમાણે છે.

નંબર-1
જો તમારો બર્થ નંબર 1 હોય તો રચનાત્મક કાર્યો પ્રત્યે તમને વિશેષ આકર્ષણ રહેશે અને તમે હંમેશાં નવા વિચારોથી ભરેલા રહેશો. તમે ડિઝાઇનર, ગ્રૂપ લીડર, ફિલ્મમેકર કે સંશોધક તરીકે જરૂર સફળ થશો.

નંબર-૨
નંબર 2નો સંબંધ નૃત્ય, સંંગીત, કવિતા અને ગણિતનાં ક્ષેત્ર સાથે છે. જોકે, બધાં જ ક્ષેત્ર તમારા માટે ખૂબ સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. નંબર ૨ વાળી વ્યક્તિ મહાન સંશોધક પણ બની શકે છે.

નંબર- 3
ચંચળતા અને સાફ મન એ નંબર ૩ના વિશેષ ગુણ છે. કમ્યુનિકેશન અને મનોરંજન એવાં ક્ષેત્ર છે જેમાં તમે પ્રયત્ન કરી શકો છો. એક્ટિંગ, મ્યુઝિક, રાઇટિંગ, જર્નાલિઝમ વગેરે તમારા માટે કરિયર ઘડવાના સારા વિકલ્પ છે. તમે ફેશન ડિઝાઇન અને મોડેલિંગ અંગે પણ વિચારી શકો છો.

નંબર-4

જો તમારો બર્થ નંબર ૪ હશે તો તમે દરેક બાબતમાં વ્યાવહારિક, દૃઢ નિશ્ચયી અને આત્મશક્તિ ધરાવનાર વ્યક્તિ છો. તમે એન્જિનિયર, બિલ્ડર, પ્રોગ્રામર, એકાઉન્ટન્ટ, આર્િકટેક્ટ, ઇકોલોજિસ્ટ અથવા મિકેનિકના ક્ષેત્રમાં ધારી સફળતા મેળવી શકો છો અને આગળ વધી શકો છો.

નંબર-5
નંબર ૫ તમને એડવેન્ચર્સ બનાવે છે. તમારાં સપનાં સાકાર કરો અને એ રસ્તા પર ભૂલથી પણ ન ચાલશો જે રસ્તે તમે ચાલી ચૂક્યા છે. પત્રકારત્વ, પ્રકાશન, વિજ્ઞાપન, શેરબજાર, ટ્રાવેલ, લેખન અથવા એવિએશનનું ક્ષેત્ર તમારા માટે અતિ ઉત્તમ છે.

નંબર-6
જન્માંક ૬ના લોકોનો સમાજસેવા એ પ્રાકૃતિક સ્વભાવ છે અને સેવક હોવાને કારણે તમે અધ્યાપક, શિક્ષક, સામાજિક કાર્યકર, મેડિકલ પ્રોફેશનલ કે ડોક્ટર, કૂક અથવા સિવિલ સર્વન્ટના ક્ષેત્રમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સફળતા મેળવી શકો છો.

નંબર-7
જેનો બર્થ નંબર ૭ છે તેવા લોકો વધારે જ્ઞાાની હોય છે. તેમને વૈજ્ઞાાનિક, મનોચિકિત્સક, તપાસકર્તા, દાર્શનિક, જાસૂસ અથવા મિસ્ત્રી લેખક તરીકે વધારે સફળતા મળે છે. આ સિવાયના ક્ષેત્રમાં તેમને ધારી સફળતા મળતી નથી.

નંબર-8
નેતૃત્વ અને બીજા લોકોને પોતાના અનુરૂપ બનાવી દેવા એ જન્માંક નંબર ૮ના લોકોની વિશેષતા છે. તેઓ ખૂબ જ સારા સેલ્સમેન, બેન્કર, શેરબ્રોકર, મેનેજિંગ ડાયરેક્ટર અથવા એથ્લીટ બનાવે છે. આ ક્ષેત્રમાં તેઓ પોતાની નસીબ અજમાવીને કરિયરને ચમકદાર બનાવી શકે છે.

નંબર-9
જન્માંક નંબર ૯ના લોકોને માનવ મનની સારી સમજણ હોય છે અને તેઓ બીજા લોકોને પોતાની પ્રત્યે પ્રેરિત પણ કરી શકે છે. તેઓ લેક્ચરર, ફિઝિશિયન, વકીલ અથવા ચિત્રકારના ક્ષેત્રને પ્રાથમિકતા આપીને પોતાની કરિયરને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.

16 ઑક્ટોબર, 2015

૧૬ ઓક્ટોબરનું રાશિફળ

દિલીપભાઈ ત્રિવેદી

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠા વધે.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ નોકરીમાં સ્થાન પરિવર્તનની શક્યતા. લગ્નજીવન સુખમય બની રહે. વાદ-વિવાદોનો અંત આવી જશે.

મિથુન (ક, છ, ઘ)| શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬ શેર-સટ્ટાકીય બાબતોમાં નવા રોકાણ થઇ શકે. દિવસ આનંદમય પસાર થઇ શકે. રોજગારીની તક મળી શકે.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વાહન-જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે. ભાગ્યોદયની તક મળી શકે. રોજગારીની તક મળી શકે.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ અટકેલાં કાર્યો પૂર્ણ થઇ શકે. માનસિક ચિંતા હળવી બની શકે. રોજગારીની તક મળી શકે છે.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્ર રુચિ વધતી જણાય. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. માનસિક ચિંતા હળવી બને.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ કાર્યક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. રોજગારીની તક મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે.

વૃિશ્ચક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાભીડ દૂર થઇ શકે. ચિંતા હળવી બને.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ રાજકીય ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ હિતશત્રુઓથી સંભાળવું. નાણાભીડ દૂર થઇ શકે. સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે. આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ નોકરી-વેપાર ક્ષેત્રે પ્રગતિ. વારસાગત િમલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આરોગ્યની કાળજી રાખવી.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે. પ્રવાસનું આયોજન શક્ય. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

15 ઑક્ટોબર, 2015

૧૫ ઓક્ટોબરનું રાશિફળ

દિલીપભાઈ ત્રિવેદી

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ સ્થાવર િમલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. નાણાભીડ દૂર થાય.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. આર્થિક મુશ્કેલીઓ દૂૂર થઇ શકે. માનસિક ચિંતા હળવી બને.

મિથુન (ક, છ, ઘ)| શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬ લગ્નજીવન સુખમય બની રહે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. પ્રવાસનું આયોજન શક્ય.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે છે. સંતાન સંબંધી પ્રશ્નો હલ થઇ શકે. માનસિક ચિંતા હળવી બને.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થાય. લગ્નજીવન સુખમય બની રહે.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ ભૌતિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. માનસિક ચિંતા હળવી બની શકે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ વાહન-જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. રોજગારીની તક મળી શકે.

વૃિશ્ચક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ વારસાગત િમલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય. દિવસ આનંદમય પસાર થાય.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ કૌટુંબિક વિખ‌વાદોનો ઉકેલ આવી શકે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે. નાણાભીડ દૂર થાય.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ વિદેશથી શુભ સમાચાર મળી શકે. ભાગ્યોદયની તક મળી શકે. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ કાર્યક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. માનસિક ચિંતા હળવી બની શકે.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ આકસ્મિક ધન-લાભ થઇ શકે છે. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે.

13 ઑક્ટોબર, 2015

નવદુર્ગાની આરાધનાનું પર્વ છે નવરાત્રિ, જાણી લો નવરાત્રિ વિશે

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ર્ધામિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારાં હોય છે. આપણે ત્યાં ઉજવાતાં પર્વોમાં નવરાત્રીનું અનેરું મહત્ત્વ છે. વર્ષમાં 4 નવરાત્રિ હોય છે પણ મુખ્યત્વે આખા વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. ચૈત્રી નવરાત્રી ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે, જ્યારે આસો નવરાત્રી વર્તમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધારે વધુ પ્રચલિત બની છે

નવરાત્રી એ માતા શક્તિની શક્તિઓને જગાડવાનું આહ્વાન છે. તેનાથી આપણા ઉપર દૈવીશક્તિની કૃપા ઊતરે છે અને આપણે બધાં જ સંકટો, રોગ, દુશ્મનો, પ્રાકૃતિક આફતો જેવાં કષ્ટોથી બચી શકીએ છીએ. નવરાત્રીમાં દેવીપૂજનથી શારીરિક તેજમાં વૃદ્ધિ, મન નિર્મળ તથા આત્મિક શક્તિઓમાં વધારો થાય છે. નવરાત્રીમાં મા ભગવતી જગતજનનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. ઘરઘરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન, હવન, સાધના થાય છે જ્યારે આસો નવરાત્રીમાં ગરબીને ફરતા ગરબા રમાય છે.

નવરાત્રી ઊજવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. મહિષાસુર નામનો એક રાક્ષસ દેવો અને મનુષ્યોને ખૂબ જ કષ્ટ આપતો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાનું બધું જ છીનવી લીધું હતું. દેવતાઓ આવી સ્થિતિમાં નિઃસહાય અને ભયભીત બની ગયા હતા. દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા અને તેમની વાત જાણીને તેઓ મહિષાસુર પર કોપાયમાન થયા અને તેમના પુણ્યપ્રકોપમાંથી એક દૈવીશક્તિનું નિર્માણ કર્યું. સૌ દેવતાઓએ પોતાની શક્તિઓ અને શસ્ત્રો તે દેવીને આપ્યાં. આમ, આ દેવી મહાશક્તિ બની ગયાં. તેમણે નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને તેને હણી નાખ્યો. આ રીતે આસુરી વૃત્તિઓને ડામીને દૈવીશક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો ત્યારબાદ દેવો નિર્ભય બન્યા.

એવું પણ કહેવાય છે કે શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતાં પહેલાં શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો.
નવ દુર્ગાનાં સ્વરૂપોની સાધનાથી મળતા લાભ

માર્કંડેય પુરાણમાં દુર્ગાસપ્તશતીમાં શક્તિનાં ત્રણ સ્વરૂપો દર્શાવવામાં આવ્યાં છે. જેમાં પ્રથમ ચરિત્રમાં મહાકાળી છે જે શક્તિનું રૌદ્ર સ્વરૂપ છે. તેમનો રંગ શ્યામ છે અને તમો ગુણની અધિષ્ઠાત્રી છે. બીજામાં મહાલક્ષ્મી છે જે ઇચ્છાશક્તિ અને રાજસી શક્તિ તથા રજોગુણની અધિષ્ઠાત્રી છે. ત્રીજામાં મહાસરસ્વતીનો ઉલ્લેખ જોવા મળે છે, જે શ્વેત રંગનાં અને સૌમ્યસ્વરૂપા છે. જ્ઞાાનશક્તિ છે અને સત્ત્વ ગુણની અધિષ્ઠાત્રી છે.

નવરાત્રિના નવ દિવસ નવદુર્ગાનાં નવ રૂપની પૂજા-અર્ચનાનું ઘણું મહત્ત્વ છે. તે શક્તિની આરાધનાનું પર્વ છે. ધર્મશાસ્ત્રો મુજબ અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ માટે નવરાત્રીથી બીજું કોઈ શ્રેષ્ઠ પર્વ નથી. નવ દિવસ નવ દેવીની આરાધના કરીને કુંડલીને પણ જાગૃત કરી શકાય છે. નવદુર્ગાના પૂજન-અર્ચન, જપ-તપ, વ્રત-અનુષ્ઠાન જ ઉત્તમ ઉપાય છે. આ નવ દેવીઓ આ મુજબ છે.

     શૈલપુત્રી : આ મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ થયો હોવાને લીધે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી ભક્ત ધનધાન્યના ભંડારો મેળવે છે.
     બ્રહ્મચારિણીઃ શક્તિનું આ બીજું સ્વરૂપ ઉપાસકને અનંત કોટિ ફળ આપનારું છે.
     ચંદ્રઘંટાઃ દેવીના આ ત્રીજા સ્વરૂપની પૂજા-ઉપાસના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે.
     કુષ્માંડાઃ નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. તેમની આરાધનાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તથા યશ અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
     સ્કંદમાતાઃ શક્તિના આ પાંચમા સ્વરૂપની પૂજા કરવાથી સમસ્ત ઇચ્છાઓની ર્પૂિત કરે છે અને શત્રુઓનું શમન થાય છે.
     કાત્યાયનીઃ તેમની પૂજા છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. તેમના પૂજનથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે અને દુશ્મનોનો સંહાર કરવા માટે તે સમર્થ બને છે.
     કાલરાત્રીઃ કાલરાત્રીની પૂજા કરવાથી ભવોભવનાં દુઃખ દૂર થાય છે. તેમની પૂજા-અર્ચના કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. તેજમાં વૃદ્ધિ થાય છે અને દુશ્મનોનો નાશ થાય છે.
     મહાગૌરીઃ નવરાત્રીમાં આઠમના દિવસે ગૌરીમાતાની પૂજા કરવાનું વિધાન છે. ગૌરીની પૂજા સમસ્ત સંસાર કરે છે. તેમના પૂજનથી નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે.
     સિદ્ધિદાત્રીઃ નવરાત્રીના છેલ્લા એટલે કે નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે. તેમની પૂજા-આરાધના કરવાથી મનુષ્ય જેની હંમેશાંથી કામના કરે છે તેવી સમસ્ત સિદ્ધિઓ અને નિધિઓની પ્રાપ્તિ થાય છે.

આદ્યશક્તિની પૂજા-આરાધના કરવા માટે જવારા વાવીને તેનું પૂજન કરવું જોઈએ. નવ દિવસ સુધી સાત ધાન્યના જવારા, પાણી, ષોડશોપચારોથી તેનું પૂજન કરવું જોઈએ. શક્ય હોય તો જપ-તપ-ઉપવાસ કરવા

12 ઑક્ટોબર, 2015

જનોઈ કેમ ચડાવાય છે કાન પર?

યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા પછી ગુરૂના સાનિધ્યમાં જવાનું હોય છે. આની પાછળનો ઉદેશ્ય વિદ્યા તેમજ જ્ઞાન મેળવવાનો છે. યજ્ઞોપવિત, બટુક એટલે કે બાર વર્ષથી નાની ઉંમરના બાળકને આપવી યોગ્ય ગણાય છે. જનોઈ ધારણ કર્યા પછી મળ-મૂત્ર ત્યાગ કરતી વખતે જનોઈને જમણા કાન પર ચડાવવાનો નિયમ પણ બનાવાયો છે. આધુનિક સમયમાં આપણને તે કુરિવાજ લાગે પણ આ બધા પાછળ ચોક્કસ કારણો છે. બાળકનું નાનપણથી જ નીતિ ઘડતર થાય અને તે પવિત્રતા તેમજ ચોખ્ખાઈના પાઠ શિખે તે હેતુ છે. આ ઉપરાંત તેનું તંદુરસ્તીની દ્રષ્ટીએ મહત્વ છે.

કહેવાય છે કે જનોઈ કાને ચઢાવવાથી પાચનક્રિયા મજબૂત બને છે. પેટ તથા શરીરના નીચેના અંગોમાં વિકાર થતો નથી. તે એક એક્યુપ્રેશરની ભૂમિકા ભજવે છે. મળ-મૂળ ત્યાગતી વખતે જનોઈ નીચે સુધી જઈને બગડે નહી તેથી કાન પર ચઢાવવામાં આવે છે. શૌચક્રિયા દરમિયાન જનોઈ નીચેના અર્ધ શરીરને સ્પર્શ ન કરે તે મુદ્દો છે. તેનાથી સૂચિતા, પવિત્રતા જળવાય તે બીજો મુદ્દો છે. જનોઈ ધારકે ગાયત્રીમંત્રના જાપ નિયમિતપણે કરવાના હોય છે. આની પાછળ સૂર્યને બળ આપવાનો હેતુ છે.

યજ્ઞોપવિત ધારણ કરાવવાનો અર્થ ઘણો જ વ્યાપક છે જનોઈને પવિત્રતાનો પર્યાય માનવામાં આવે છે. જનોઈ ધારણ કરવી એટલે એનો અર્થ જનોઈ ધારકે નૈતિક મૂલ્યો જાળવવા અને જળવાવવા. પોતે ખોટું કરવું નહી અને પોતાની હાજરીમાં ક્યાંય ખોટુ થવા દેવું નહી. જીવનમાં નીતિ, કર્મઠતા, પ્રમાણિકતા, ધગશ, ઉત્સાહ, મહેનત, જીવ માત્રની નિર્ભયતા અને વિકાસ, દયા, કરુણા જેવા તત્વોને જીવનમાં આપનાવવાના હોય છે. માણસે માણસ તરીકેની માણસાઈ બતાવવાની છે. જનોઈ ધારકને માથે વૈશ્વિક જવાબદારી છે. દુનિયામાંથી માણસાઈ મરી ન પરવારે અને માનવી માનવ બનીને જીવે તે છે. વિચારોની પ્રવિત્રતા, જ્ઞાનને પ્રાધાન્ય આપવાનો હેતુ જનોઈ આપવા પાછળ છે.

કહેવાય છે કે કેટલાક સારા માણસોને લીધે જ પૃથ્વી ટકેલી છે. જનોઈ એક વ્રત છે વિશ્વ કલ્યાણનુ. બ્રાહ્મણો પહેલા ક્યારેય જનોઈના સમ ખોટા ખાતા નહી. કારણ કે તે તેમણે સ્વેચ્છાએ અપવાવેલું વ્રત છે. પોતાના રોજીંદા કર્તવ્યની સાથે સાથે, સહજ રીતે પોતે અને આસપાસના વર્તુળોમાં, વિચારોની શુધ્ધતા લાવવા પર તે ભાર આપે છે. જનોઈ ધારણ કરવી એ બહુ પ્રતિષ્છિત ગણાય છે. આજીવન આ વ્રત પાળીને જીવનાર જ જનોઈધારી બ્રાહ્મણ છે. જનોઈ પહેરવી એનો મતલબ એ છે કે તે વિશ્વ કલ્યાણ માટે પોતાનો યથાયોગ્ય ફાળો પૂરી નિષ્ઠાથી આપશે. જનોઈ પહેરવી અને સમાજના હિત માટે અનદેખા કરવું એ બહું જ ખરાબ બાબત છે. જનોઈ એ જવાબદારી છે. જનોઈ ધારકે તે ક્યારેય ન ભૂલવું જોઈએ. ક્યારેક બાળકોને ઠપકો આપતા વડિલો  એટલે જ બોલી ઉઠે છે કે જનોઈ પહેરે છે અને આમ કરે છે? એનો અર્થ એમ જ છે કે જનોઈ ધારકે ભૂલભૂલમાંય કોઈ ખોટું કામ કરાય નહીં કે ચલાવાય નહીં. બાળકમાં નાનપણથી જ શ્રેષ્ઠ માનવીય ગુણોનો વિકાસ થાય તે હેતુથી જ તેને બાલ્યાવસ્થામાં જનોઈ આપવામાં આવે છે.

આજે ચતુર્ગ્રહી યોગ સાથે સોમવતી અમાસ

તા.૧૨ ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસ સાથે પિતૃપક્ષની પૂર્ણાહુતિ થશે. આ જ દિવસે ચતુર્ગ્રહી યોગ અને સોમવાર હોવાથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવતી અમાસનો પણ સંયોગ થઇ રહ્યો છે, એટલે કે એક જ દિવસે આવો અનોખો ત્રિવેણી સંયોગ થઇ રહ્યો છે.

દિલીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે આ વર્ષે ચતુર્ગ્રહી યોગ, સોમવતી અમાસ અને સર્વપિતૃ અમાસનો સંયોગ થાય છે. તેમાં પણ રાજકીય દૃષ્ટિએ આ સંયોગ ગુજરાત સહિત દેશભરમાં રાજકીય સંઘર્ષ, આંતરવિગ્રહની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. આ દિવસ પિતૃકૃપા, શિવ આરાધના, વિષ્ણુ આરાધના માટે સર્વોત્તમ છે.

તેમણે કહ્યું કે જેમને પોતાના પિતૃઓની તિથિ યાદ નથી અથવા કોઈ આખા પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ-તર્પણ વગેરે નથી કરી શકતા તેવા શ્રદ્ધાળુઓ સર્વ પિતૃ અમાસનાં દિવસે શ્રાદ્ધ-તર્પણ, દાન કરી શકે છે. સામાન્ય રીતે તો દરેક અમાસ પિતૃ કૃપા મેળવવા માટે ઉત્તમ છે છતાં પણ ભાદરવી અમાસ, સર્વપિતૃ અમાસનું વિશિષ્ટ મહત્ત્વ છે.

તેમણે કહ્યું કે જે રીતે નાનો યજ્ઞ કરવાથી તેની દિવ્ય સુગંધ અને ઉદાત્ત ભાવના સમસ્ત વાતાવરણ અને બધા જ જીવોને લાભ પહોંચાડે છે, તેવી જ રીતે કૃતજ્ઞતાની ભાવનાથી કરવામાં આવેલ શ્રાદ્ધ-કર્મ સમસ્ત જીવોમાં શાંતિમય ભાવનાનો સંચાર કરે છે. સદ્‌ભાવનાનાં તરંગો તો જીવંત અને મૃત, બધાને પ્રભાવિત કરે છે, પરંતુ તેનો સૌથી વધુ હિસ્સો તેમને પહોંચે જેના માટે શ્રાદ્ધ કરવામાં આવ્યું હોય. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે અને તેનાથી શ્રાદ્ધ કરનારનું સદા-સર્વદા કલ્યાણ જ થાય છે.

તેમણે જણાવ્યું કે જુદા જુદા ઉલ્લેખો અનુસાર શ્રાદ્ધનું ખાસ મહત્વ છે, જે અંતર્ગત મહર્ષિ જાબાલિ મુજબ 'પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, અતુલ ઐશ્વર્ય અને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.' મહાભારતમાં આવતા એક પ્રસંગમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને કહેતા હોય છે 'જે મનુષ્ય પોતાના પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ નથી કરતાં તેમને બુદ્ધિમાન્‌ મનુષ્યો મૂર્ખ કહે છે.' ગરુડ પુરાણમાં ઋષિએ જણાવ્યું છેે 'પિતૃપૂજનથી સંતુષ્ટ પિતૃઓ મનુષ્યને આયુ, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન અને ધાન્ય આપે છે.' આજે નદી કિનારે શ્રદ્ધાળુઓ પિતૃશાંતિ માટેની ક્રિયા કરશે

સર્વપિતૃ અમાસે અમદાવાદ સહિત રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ નદી કિનારે પિતૃશાંતિ અને પિતૃકૃપા મેળવવા માટે વિશિષ્ટ વિધિમાં ભાગ લેશે. આ અંગે દિલીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે ચાણોદ-કરનાળી સહિત અમદાવાદનાં નદી-કિનારે આવેલા ધર્મસ્થાનકો ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃઓની કૃપા મેળવવા અને શાંતિ માટે શ્રાદ્ધ-તર્પણ આદિ વિધિ-વિધાન પણ થશે.

સત્તાધીશો માટે પખવાડિયું કષ્ટદાયક બની રહેશે જણાવ્યું કે, સર્વપિતૃ અમાસે કન્યા રાશિમાં ચંદ્ર-બુધ-સૂર્ય-રાહુનો ચતુર્ગ્રહી યોગ છે. તે અનુસાર સૂર્યની સાથે રાહુ-ચંદ્ર-બુધનું હોવું સત્તાધારી પક્ષ માટે નકારાત્મક ગણી શકાય છે. જે અનેક સંઘર્ષ જન્માવી શકે છે. સૂર્ય-રાહુની યુતિના કારણે મહત્વના પ્રશ્નો ઉકેલાય નહીં. આંતરવિગ્રહની પણ શક્યતા છે. સિંહ રાશિમાં મંગળ-ગુરુ-શુક્રની યુતિ અને વૃશ્ચિકનો શનિ, મંગળની રાશિમાં હોવાથી જનસામાન્ય આંદોલન માટે પ્રેરાઈ શકે. ગુજરાત સહિત દેશમાં સત્તાધીશો માટે પખવાડિયું કષ્ટદાયક રહી શકે.