પિતૃદોષ,નાગ (સર્પ) દોષ ,કાલસર્પ વિગેરે
દોષોના નિવારણ માટે કર્મકાંડી બ્રમ્હાણ પાસે સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ
કરાવવાથી જ પિતૃગણ દોષ મુક્ત થાય છે.અને મોક્ષ પ્રાપ્તિના અધિકારી બને છે.
પવિત્ર તીર્થક્ષેત્રમાં ભાવ થી પિંડદાન
અને વિધીયુક્ત તર્પણ, શ્રાદ્ધ,દાન,નારાયણ બલિ,કીર્તન તથા જપાદી કરવાથી
પિતૃઓને અવશ્ય શાંતિ મળે છે.અને પિતૃઓ સદગતીને પામે છે.જેને કારણે આવી વિધિ
કરાવનાર જાતક ને શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણનાં જણાવ્યા પ્રમાણે
"જેના વંશમાં પ્રેત દોષ રહે છે તે સંસારના સુખોથી અલિપ્ત રહે છે.પ્રેત બાધા
હોવાને કારણે મનુષ્યની મતી, પ્રીતિ,રાતી,લક્ષ્મી,અનેબુધ્ધીએ પંચ તત્વનું
ઉલ્મુલન થાય છે.અને ત્રીજી યા પાચમી પેઢીએ પ્રેતબાધા ગ્રસ્ત કુળનો વિનાશ
થાય છે"
આપણા શાસ્ત્રોમાં તેમજ પુરાણો માં પણ
નારાયણ બલિ શ્રાધ અંગે અનેક પુરાવા મળે છે.નારાયણ બલિ કોઈ "બલિ ની વિધિ નથી
પણ ભગવાન વિષ્ણુના સંદર્ભમાં કર્મ છે, ઘરમાં બાધા શાંતિ માટે ગાયત્રી યજ્ઞ
કે સત્યનારાયણની કથા કરાવીએ છીએ તેવુંજ આ એક પિતૃ કર્મ છે".
નારાયણ બલિ વિધિ માટે કોઈ પણ ધાર્મિક સ્થળ માં જેવા કે નર્મદા કિનારે.
જ્યારે કોઈ પરિવારમાં મુશ્કેલીઓ અવારનવાર આવે,શારીરિક અથવા અન્ય કોઈ પીડા
ત્રાસ દાયક બને, ઘરમાં લગ્ન કે સંતાનના જન્મ જેવા શુભ પ્રશંગ માં વિલંબ થયા
કરે,કુટુંબમાં અકાળે અપમૃત્યુના બનાવો બને અથવા ધંધા-વ્યવસાય માં પડતી કે
બરકત ના આવે ત્યારે કોઈ પિતૃ તરફ થી એટલે કે પિતૃદોષ ને કારણે આમ થાય છે.
આવું જણાય ત્યારે પિતૃદોષ નિવારણ માટે "નારાયણ બલિ"કરાવવી પડે છે.