"દિલીપભાઈ ત્રિવેદી" ભગવાન ગણેશજી શીઘ્ર પ્રસન્ન થનાર અને તુરંત ફળ આપનાર દેવ તરીકે માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અને ભારતીય ધર્મ પરંપરામાં કોઇ શુભ કામ અને માંગલિક પ્રસંગ એવો નહીં હોય કે જેમાં ભગવાન ગણેશની આરાધના કર્યા વગર તેનો પ્રારંભ કરી શકાય. શુભ પ્રસંગોનો શુભારંભ જેમની સ્તુતિ વડે થાય છે એવા વિઘ્નહર્તા ભગવાનની જન્મજયંતિ એટલે ભાદરવા સુદ ચોથનો મંગલ દિવસ, ગણેશ ચોથ. એમનાં જન્મની સાથે જોડાયેલી ભીન્ન ભીન્ન ઘટનાઓ અને કથાઓનું વર્ણન આપણા ગ્રંથોમાં કરવામાં આવ્યુ છે. આજે આપણે ભગવાન વિઘ્નહર્તાની સ્થાપના કરવા માટેનાં કેટલાક નિયમોની વાત કરીશું. તે પહેલાં જોઈ લો જોઈ તો ગણેશ સ્થાપનાના શુભ મૂહુર્ત...
શુભ ચોઘડિયા અને ગણેશ સ્થાપનનો સમયઃ-
સવારે 6.28થી 7.59 શુભ,
11.02થી 12.34 ચલ,
12.34થી 14.06 લાભ,
14.06થી 15.37 અમૃત ચોઘડિયામાં કરી શકાશે.
જ્યારે અભિજિત મુહૂર્ત બપોરે 12.10થી 12.58 ખૂબ યોગ્ય છે.
ગણેશ સ્થાપનાનિ વિધિઃ-
…-પાર્થિવ ગણેશજીની પ્રતિમા બનાવવા માટે શુદ્ધ માટીનો ઉપયોગ સૌથી વધુ શ્રેષ્ઠ હોવાની વાત આપણાં ઋષી-મુનીઓએ કહી છે.
…-લાલ અને પીળી માટીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવી જોઇએ. કાળી માટી અને અવાવરૂં જગ્યા કે સ્મશાનભૂમિની માટી વાપરવાનું ત્યાજય કરવાનો આદેશ છે.
…-માટી માથી બનાવેલી મૂર્તિને જુદા જુદા કલર અને રંગથી આકાર અને રેખાઓ આપી શકાય છે.
…-માટીની મૂર્તિ સિવાય પથ્થર અને મારબલની મૂર્તિ પણ ગ્રાહ્ય છે.