ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

18 ઑક્ટોબર, 2015

યોગ્ય કેરિયરની પસંદગી કરવી હોયતો જન્મ તારીખને આધારે કરો

જો તમે 29 તારીખે જન્મ્યા હો તો તમારો બર્થ નંબર એટલે કે જન્માંક 2+9 = 11 અને પછી તેનો પણ સરવાળો 1+1 = 2એટલે કે તમારો જન્માંક નંબર ૨ છે. અંકો માનવજીવનની ઘણી બધી બાબતોને સ્પર્શે છે. તેમાંથી એક છે કરિયરની યોગ્ય પસંદગી. જન્માંક નંબરને આધારે કરિયરના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકો છો. જન્માંક અને કરિયરના વિવિધ ઓપ્શન આ પ્રમાણે છે.

નંબર-1
જો તમારો બર્થ નંબર 1 હોય તો રચનાત્મક કાર્યો પ્રત્યે તમને વિશેષ આકર્ષણ રહેશે અને તમે હંમેશાં નવા વિચારોથી ભરેલા રહેશો. તમે ડિઝાઇનર, ગ્રૂપ લીડર, ફિલ્મમેકર કે સંશોધક તરીકે જરૂર સફળ થશો.

નંબર-૨
નંબર 2નો સંબંધ નૃત્ય, સંંગીત, કવિતા અને ગણિતનાં ક્ષેત્ર સાથે છે. જોકે, બધાં જ ક્ષેત્ર તમારા માટે ખૂબ સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. નંબર ૨ વાળી વ્યક્તિ મહાન સંશોધક પણ બની શકે છે.

નંબર- 3
ચંચળતા અને સાફ મન એ નંબર ૩ના વિશેષ ગુણ છે. કમ્યુનિકેશન અને મનોરંજન એવાં ક્ષેત્ર છે જેમાં તમે પ્રયત્ન કરી શકો છો. એક્ટિંગ, મ્યુઝિક, રાઇટિંગ, જર્નાલિઝમ વગેરે તમારા માટે કરિયર ઘડવાના સારા વિકલ્પ છે. તમે ફેશન ડિઝાઇન અને મોડેલિંગ અંગે પણ વિચારી શકો છો.

નંબર-4

જો તમારો બર્થ નંબર ૪ હશે તો તમે દરેક બાબતમાં વ્યાવહારિક, દૃઢ નિશ્ચયી અને આત્મશક્તિ ધરાવનાર વ્યક્તિ છો. તમે એન્જિનિયર, બિલ્ડર, પ્રોગ્રામર, એકાઉન્ટન્ટ, આર્િકટેક્ટ, ઇકોલોજિસ્ટ અથવા મિકેનિકના ક્ષેત્રમાં ધારી સફળતા મેળવી શકો છો અને આગળ વધી શકો છો.

નંબર-5
નંબર ૫ તમને એડવેન્ચર્સ બનાવે છે. તમારાં સપનાં સાકાર કરો અને એ રસ્તા પર ભૂલથી પણ ન ચાલશો જે રસ્તે તમે ચાલી ચૂક્યા છે. પત્રકારત્વ, પ્રકાશન, વિજ્ઞાપન, શેરબજાર, ટ્રાવેલ, લેખન અથવા એવિએશનનું ક્ષેત્ર તમારા માટે અતિ ઉત્તમ છે.

નંબર-6
જન્માંક ૬ના લોકોનો સમાજસેવા એ પ્રાકૃતિક સ્વભાવ છે અને સેવક હોવાને કારણે તમે અધ્યાપક, શિક્ષક, સામાજિક કાર્યકર, મેડિકલ પ્રોફેશનલ કે ડોક્ટર, કૂક અથવા સિવિલ સર્વન્ટના ક્ષેત્રમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સફળતા મેળવી શકો છો.

નંબર-7
જેનો બર્થ નંબર ૭ છે તેવા લોકો વધારે જ્ઞાાની હોય છે. તેમને વૈજ્ઞાાનિક, મનોચિકિત્સક, તપાસકર્તા, દાર્શનિક, જાસૂસ અથવા મિસ્ત્રી લેખક તરીકે વધારે સફળતા મળે છે. આ સિવાયના ક્ષેત્રમાં તેમને ધારી સફળતા મળતી નથી.

નંબર-8
નેતૃત્વ અને બીજા લોકોને પોતાના અનુરૂપ બનાવી દેવા એ જન્માંક નંબર ૮ના લોકોની વિશેષતા છે. તેઓ ખૂબ જ સારા સેલ્સમેન, બેન્કર, શેરબ્રોકર, મેનેજિંગ ડાયરેક્ટર અથવા એથ્લીટ બનાવે છે. આ ક્ષેત્રમાં તેઓ પોતાની નસીબ અજમાવીને કરિયરને ચમકદાર બનાવી શકે છે.

નંબર-9
જન્માંક નંબર ૯ના લોકોને માનવ મનની સારી સમજણ હોય છે અને તેઓ બીજા લોકોને પોતાની પ્રત્યે પ્રેરિત પણ કરી શકે છે. તેઓ લેક્ચરર, ફિઝિશિયન, વકીલ અથવા ચિત્રકારના ક્ષેત્રને પ્રાથમિકતા આપીને પોતાની કરિયરને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.