ભાગવાનને આંકડાનું લાલા અને સફેદ ફુલ વધુ પ્રિય છે. આ ફુલોથી ભગવાનની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે જેના કારણે તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ભગવાનને ચમેલીનું ફુલ ચઢાવવાથી વાહનનું સુખ મળે છે.
જો તમારા લગ્ન નથી થયા અને તમે સુંદર અને સુશીલ પત્ની ઈચ્છો છો તો ભગવાન શિવને મોગરાનું ફુલ ચઢાવો.
જો તમે ઈચ્છો કે માતા અન્નપૂર્ણા તમારા ઘરેથી ક્યારેય ન જાય તો શિવજીને જૂહીનું ફુલ સમર્પિત કરો.
શિવપુરાણ મુજબ દરેક ફુલથી અલગ અલગ પરિણામ મળે છે, જેમાં કરણનું ફુલ ચઢાવવાથી તમને નવા કપડા મળે છે.
ભગવાનને હરસિંગારનું ફુલ સમર્પિત કરવાથી સંપત્તિ દિનપ્રતિદિન વધતી રહે છે.
ધતૂરાનું ફુલ ચઢાવવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે.
દુર્વા ચઢાવવાથી તમારી ઉમર લાબી અને સ્વસ્થ રહે છે.