દેવતાઓની આરતી કરવાની પરંપરા છે. આરતીમાં કપૂરના પ્રયોગ કરવાની પરંપરા પાછળ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક એમ બે પ્રકારનાં તત્વો છુપાયેલા છે.
1. કપૂર આમ તો સુગંધિત પદાર્થ હોય છે. એના દ્હનથી વાતાવરણ સુગંધિત થઈ જાય છે. જેનાથી વાતાવરણમાં સતોગુણની વૃદ્ધિ થાય છે અને મન સરળતાથી ભક્તિભાવમાં દૃઢ થઈ જાય છે.
2. આરતી કરતા સમયે કપૂરની સુગંધથી ભગવાન પણ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે અને સાધકની મનોકામના પૂર્ણ કરે છે.
3. ધર્મગ્રંથો મુજબ કપૂર સળગાવવાથી દેવદોષ અને પિતૃદોષ નાશ થાય છે.
4 વૈજ્ઞાનિક અનુસંધાન મુજબ સળગતા કપૂરની સુગંધમાં રોગ ફેલાવતાવાળા જીવાણુ વિષાણું વગેરેનો નાશ કરવાની ક્ષમતા હોય છે જેથી રોગ ફેલાવાનો ભય નહી રહે.
5. રાતે સૂતા સમયે કપૂર સળગાવતા ઉંઘ સારી આવે છે દરરોજ સવારે સાંજે કપૂર સળગાવવાથી ઘરમાં કોઈ આકસ્મિક ઘટના કે દુર્ઘટના નહી થાય.
6. ઔષધિના રૂપમાં
* કપૂરના તેલ ત્વચામાં લોહીના સંચારને સહજ બનાવે છે.
* આર્થરાઈટિસના દુખાવાથી રાહત મેળવવા કપૂરના તેલ કે મરહમ લગાવી શકાય છે.
* કફના કારણે છાતીમાં બળતરા થતા કપૂર લગાડો.