દીપાવલિ-શારદાપૂજન-લક્ષ્મીપૂજન- ચોપડા પૂજન કરવાનો અતિ ઉત્તમ દિવસ છે બુધવારે આવતી દિવાળી. બુધવાર તા. ૧૧-૧૧-૨૦૧૫ આસો વદ-અમાસ છે. પ્રદોષકાળ- વ્યાપિની અમાસ છે. દર્શ અમાવાસ્યા છે. અભ્યંગ સ્નાનનો મહિમા છે. દીપોત્સવ-દીપપૂજન- મહાલક્ષ્મી- સરસ્વતી પૂજન- ચોપડા પૂજન માટેનો શુભ દિન છે.
શુભ મુહૂર્તો : પ્રાતઃકાળ ૬.૪૯ કલાકથી ૮.૧૨ કલાક સુધી
સવારે ૮.૧૨ કલાકથી ૯.૪૦ કલાક સુધી
૧૦.૫૭ કલાકથી ૧૨.૨૬ કલાક સુધી
સાંજે ૧૬.૪૦ કલાકથી ૧૮.૦૨
સાંજે પ્રદોષકાળ મુજબ ૧૮.૦૫ કલાકથી ૧૯.૪૫ કલાક સુધી
રાત્રે ૨૧.૧૫ કલાકથી ૨૨.૫૦ કલાક સુધી
મહાનિશિથ કાળ મધરાત્રે ૨૩.૫૯ કલાકથી ૨૪.૫૦ કલાક સુધી
વધુ સૂક્ષ્મ શુભ મુહૂર્તનો સમય : શારદા પૂજન-લક્ષ્મી પૂજન ચોપડા પૂજન માટે
સાંજે ૧૮.૨૨ કલાકથી ૨૦.૨૩ કલાક સુધી
મધરાત બાદ રાત્રે ૧૨.૪૫ કલાકથી ૨.૫૪ કલાક સુધી શ્રેષ્ઠ મુહૂર્ત છે.
વધુ સૂક્ષ્મ નવમાંશ સહિતના મુહૂર્ત માટે આપના કૌટુંબિક ખાનદાની પંડિત-શાસ્ત્રી- વિદ્વાનનો સંપર્ક કરવો.
શારદા-સરસ્વતી પૂજા મંત્રો-લક્ષ્મી મંત્રો
દીપાવલિના શુભ દિવસે અનુકૂળ શુભ મુહૂર્તમાં શ્રી ગણેશ પૂજા અને ગણેશ મંત્ર ધ્યાન, સરસ્વતી મંત્ર ધ્યાન તેમજ લક્ષ્મીજીના પ્રભાવક મંત્રોના જાપ ઘણાં ફળદાયી નીવડે છે. જે વર્ષ આખું આપને પ્રેરણા-ઊર્જા અને લાભની તકો વધારે છે. લક્ષ્મીદાયક, શુભ પવિત્ર, શુકનિયાળ વસ્તુઓ જેવી કે કોડી, જમણો શંખ, ગોમતી ચક્ર, લક્ષ્મી યંત્ર, વ્યાપાર યંત્ર, શ્રીયંત્ર, શાલિગ્રામ વગેરેનું પૂજન અને મંત્ર અને અભિષેક કરવાથી શુભ ફળ વધે છે.
સરસ્વતી મંત્રો : (૧) ૐ ઐં
(૨) ૐ ઐં નમઃ
(૩) ૐ ઐં સરસ્વત્યૈ નમઃ
(૪) ૐ હ્રીઁ શારદાયૈ નમો નમઃ
પ્રભાવશાળી લક્ષ્મી મંત્રો
દિવાળીના પવિત્ર શુભ દિવસે પૂજા સ્તોત્ર પાઠ શ્રીસૂક્તની પૂજા-પાઠ બાદ ધ્યાન મંત્રો યથાશક્તિ સંખ્યામાં કરવાથી લક્ષ્મી સુખ વધે છે.
(૧) ૐ શ્રીમ્
(૨) ૐ શ્રીમ્ શ્રીયૈ નમઃ
(૩) ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
(૪) ૐ ઐં હ્રીઁ ક્લીઁ શ્રીં શ્રીયૈ નમઃ
(૫) ૐ કમલાવાસિન્યૈ સ્વાહા
(૬) ૐ ગં ઐં શ્રીઁ નમો નમઃ
(૭) ૐ ઐં હ્રીઁ ક્લીઁ શ્રીઁ મહાલક્ષ્મ્યૈ નમઃ
(૮) દરિદ્રતા નિવારણ અર્થે મંત્ર :
ૐશ્રીં હ્રીઁ દારિદ્રય વિનાશિન્યે
શ્રી મહાલક્ષ્મ્યૈ નમો નમઃ
(૯) ઋણ-કરજ નિવારણ
ૐ હ્રીઁ ક્લીઁ શ્રીઁ લક્ષ્મી મનગૃહે આગચ્છ ઋણ મુક્તિ કરોતિ સ્વાહા