સોમવાર તા. 9-11-2016ના રોજ આસો વદ-તેરશ- ધનતેરશ છે. સોમપ્રદોષ છે. પ્રદોષકાળ વ્યાપિની તેરશ શુભ ગણાય છે. આ દિવસે આરોગ્ય-આયુષ્ય માટે ધન્વંતરિ ભગવાનનું પૂજન-શિવજીનું પૂજન- મહામૃત્યુંજય જાપ કરી શકાય. ધનપૂજન-સુવર્ણ રૌપ્ય મુદ્રા આભૂષણો અને લક્ષ્મી યંત્ર, શ્રી યંત્ર, શાલિગ્રામ, દક્ષિણાવર્તી શંખપૂજન- રુદ્રીથી માળાપૂજન-અન્ય એકાક્ષી શ્રીફળ, કોડી વગેરે પૂજન કરવાનું મહાત્મ્ય છે.
શુભ મુહૂર્તો : ધનપૂજન-ધન્વંતરિ પૂજન માટે
પ્રાત:કાળે : ૬.૪૫ ક.થી ૮.૧૧ કલાક
બપોરે : ૯.૩૬ કલાકથી ૧૧.૦૨ કલાક
૧૩.૪૮ કલાકથી ૧૫.૧૫ કલાક
સંધ્યા સમયે : ૧૬.૪૪ કલાકથી ૧૮.૦૭ સુધી
૧૮.૦૮ કલાકથી ૧૯.૪૫ સુધી
આમાં સવારે ૭.૩૦ કલાકથી ૮ ઉત્તમ.
બપોરે ૧૪ કલાકથી ૧૫ સુધી ઉત્તમ.
સાંજે ૧૮.૩૦ કલાકથી ૧૯.૩૦ ઉત્તમ છે.
આ દિવસે અનેક શુદ્ધ શુભ પવિત્ર લક્ષ્મી માટેની શુકનવંતી વસ્તુઓ કાળી હળદર, જમણો શંખ-લઘુ નાળિયેર, સ્ફટિક અથવા ધાતુ અથવા રૌપ્ય-તામ્રનું શ્રીયંત્ર વગેરેની પૂજા ઘણી ફળદાયી બને છે જેથી વર્ષ આખું જીવન વધુ સુખદ્ બને છે.